મોચી, કુતરો અને ઈશ્વર
આ એક સુંદર વાર્તા છે, કે જે આધ્યાત્મિકતાનાં ખરા હેતુ – દરેકમાં દિવ્યતાને જોવી – ની એક હળવી યાદ પણ અપાવી જાય છે.
એકજણ કે જે મારા બ્લોગને અને પ્રવચનોને શરૂઆતથી અનુસરતાં આવ્યા છે તેઓ મને હમણાં મળવા આવ્યા હતા. તેમણે એક હૃદય દ્રવિત કરી નાંખે એવી વાર્તા કહી. આ રહ્યો તેનો સીધો સુર. “સ્વામી,” તેમણે કહ્યું, “ સવારમાં સ્નાન કર્યા પછી પ્રથમ કામ હું ભગવાનનાં પૂજાલયમાં દીવો પ્રગટાવવાનું કરું છું અને મારી પ્રાર્થના કરું છું. દીવો અને અગરબત્તીની સાથે, હું તાજા ફૂલો પણ ચડાવું છું. મારા ઘર આગળ એક વાડ કરેલી જગ્યા છે જ્યાં હું આ ફૂલો ખુબ જ કાળજી અને પ્રેમપૂર્વક ઉગાડું છું કારણકે તે પ્રભુને ચડાવવાનાં હોય છે. હું તેને…read more